Skip to main content

@ What an idea...
મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો એ અભ્યાસના કેટલાક પુસ્તક મામાના ઘરે જ ભૂલીને આવ્યો.
બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે ? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળે આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય.
આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય ? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય.
તિલકએ બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેશ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે.
તિલકે બેંકમાં નોકરી કરતા એના કાકા ઘનશ્યામભાઈને પોતાનો આઈડિયા શેર કર્યો. ઘનશ્યામભાઈ તો નાણા સાથે કામ કરનારા બેંકર હતા એમને પણ તિલકના વિચારમાં મોટો બિઝનેશ દેખાયો. તિલકની કંપની સાથે કામ કરવા એને બેંકની નોકરી છોડી દીધી અને 13 વર્ષના ટાબરીયાએ "પેપર્સ એન્ડ પાર્સલ્સ" નામની કંપની શરૂ કરી.
તિલક સોમથી શનિ સ્કુલ જાય છે અને રવિવાર તથા રજાના દિવસોમાં એની કંપની સંભાળે છે. ડબ્બાવાલા ભાઈઓને તાલીમ આપવી, એમના રૂટ નક્કી કરવા જેવી મહત્વની કામગીરી આ કિશોર સાંભળી રહ્યો છે. અત્યારે 300 ડબ્બાવાલા એમની સાથે જોડાયેલા છે અને રોજ 1200 જેટલી ઓફિસમાં કુરિયર પહોંચાડે છે. 2020ના વર્ષ સુધીમાં 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચવાનો એનો ટાર્ગેટ છે.
એની ઉંમરના અને એનાથી પણ મોટા હજુ મોબાઈલ પર પબજી રમવામાંથી નવરા નથી થતા. ભણેલા ગણેલા નોકરી નથી મળતી એવી ફરિયાદો કરે છે ત્યારે આ 13 વર્ષનો કિશોર પોતાના આગવા વિચારોને અમલમાં મૂકીને એક કંપનીનો માલિક બની ગયો છે.
(સંકલિત)

Comments

Popular posts from this blog

મોટી વહુ...

POINT OF THE TALK...(44) "મોટી વહું..." "પરીવાર રૂપી માળા ને, સાચવું ધાગો બની.  સાસરામાં બધી લાગણીઓ, નમી વહુઆરુ બની..."                                   - અલ્કેશ ચાવડા 'અનુરાગ' નાનપણમાં એનું સગપણ થઈ ગયેલું હોવાથી એ પરણીને આવી એ ઘરમાં કે જેની આજની પરિસ્થિતિ ખૂબ કંગાળ અને દયામણી હતી. પોતાના પિતાજીએ એનું સગપણ જ્યારે એ ઘરમાં કર્યું હતું ત્યારે એના સાસરા પક્ષનું ઘર આખા ગામજ નહિ આજુબાજુના પાંચ ગામોમાં પૂછાતું હતું. એના મોટા સસરાનો એવોતો વટ હતો કે આજુબાજુના ગામમાં કોઈનો પણ ડખો હોય એટલે પંચાત કરવામાં એ મુખ્ય ભૂમિકા ભજવતા અને ગમે એવડો મોટો ઝગડો પણ એ પતાવી દેતા. એના સસરા પક્ષમાં કોઈ મોટી જાગીરદારી ન હતી પણ પેઢીઓથી એ કુટુંબની સચ્ચાઈ અને નિટીમત્તાના કારણે સમાજ અને ગામમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી. પણ કહેવાય છે ને કે જિંદગી કદી એકધારી નથી ચાલતી. તો ક્રમ મુજબ એ કુટુંબનો સમય પણ બદલાયો. એ વહું ના મોટા સસરાનું મૃત્યુ થતા એમના પછી એમની પેઢીમાં એવું ખમીર ન આવ્યું અને સમય સાથે એ કુટુંબની પ્રતિષ્ઠામાં ઓટ આવતી ગઈ. આ બધું જાણવા અને જોવા છતાં પોતાના પિતાનું વચન રાખ

પસ્તાવો... વાર્તા

@@@   પસ્તાવો...  (વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે... પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને શીખે છે...) અમદાવાદની મધ્યે આવેલું વિશ્રામ વૃદ્ધાશ્રમ. એ વૃદ્ધાશ્રમ ની રમ નંબર ૨૧ ની બારી પાસે બેઠેલા બે વૃદ્ધો. ઉંમરના કારણે થઈ ગયેલા વૃદ્ધો નહિ પણ પરિસ્થિતિ ના કારણે દેખાતા વૃદ્ધો. એ બારી પાસે બેઠેલા બળવંતભાઈ અને એમના પત્ની ગોમતીબેન. એમનો એકનો એક દીકરો અનિલ પોતાના માં બાપને આ ઘરડાઘરમાં આજથી લગભગ પંદર દિવસ પહેલા મૂકી ગયો હતો. બળવંતભાઈને હજી યાદ છે પંદર દિવસ પહેલાનો એ દિવસ જ્યારે એમનો દીકરો અને વહું બંનેને ઘરડાઘરમાં મૂકી ઘેર ચાલતો થયો ત્યારે બોલ્યો હતો કે..."પપ્પા, હું તમને અહીં મૂકીને જાઉં છું એમાં કશું નવું કરતો નથી... આ બાબત તો હું તમારી પાસેથીજ શીખ્યો છું. હું નાનો હતો ત્યારથી તમે અને મમ્મી દાદાજીને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાત કરતા હતા અને એક દિવસ સાચેજ આજ વૃદ્ધાશ્રમમાં એમને મૂકી ગયા હતા. હું તો તમારીજ પરંપરા આગળ વધારી રહ્યો છું..." એ દિવસે દીકરા દ્વારા બોલાયેલા આ શબ્દો બળવંતભાઈ અને ગોમતીબેન બંનેને આજ દિન સુધી સ