Skip to main content

@ What an idea...
મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો એ અભ્યાસના કેટલાક પુસ્તક મામાના ઘરે જ ભૂલીને આવ્યો.
બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે ? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળે આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય.
આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય ? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય.
તિલકએ બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેશ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે.
તિલકે બેંકમાં નોકરી કરતા એના કાકા ઘનશ્યામભાઈને પોતાનો આઈડિયા શેર કર્યો. ઘનશ્યામભાઈ તો નાણા સાથે કામ કરનારા બેંકર હતા એમને પણ તિલકના વિચારમાં મોટો બિઝનેશ દેખાયો. તિલકની કંપની સાથે કામ કરવા એને બેંકની નોકરી છોડી દીધી અને 13 વર્ષના ટાબરીયાએ "પેપર્સ એન્ડ પાર્સલ્સ" નામની કંપની શરૂ કરી.
તિલક સોમથી શનિ સ્કુલ જાય છે અને રવિવાર તથા રજાના દિવસોમાં એની કંપની સંભાળે છે. ડબ્બાવાલા ભાઈઓને તાલીમ આપવી, એમના રૂટ નક્કી કરવા જેવી મહત્વની કામગીરી આ કિશોર સાંભળી રહ્યો છે. અત્યારે 300 ડબ્બાવાલા એમની સાથે જોડાયેલા છે અને રોજ 1200 જેટલી ઓફિસમાં કુરિયર પહોંચાડે છે. 2020ના વર્ષ સુધીમાં 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચવાનો એનો ટાર્ગેટ છે.
એની ઉંમરના અને એનાથી પણ મોટા હજુ મોબાઈલ પર પબજી રમવામાંથી નવરા નથી થતા. ભણેલા ગણેલા નોકરી નથી મળતી એવી ફરિયાદો કરે છે ત્યારે આ 13 વર્ષનો કિશોર પોતાના આગવા વિચારોને અમલમાં મૂકીને એક કંપનીનો માલિક બની ગયો છે.
(સંકલિત)

Comments

Popular posts from this blog

કરિયાવર

POINT OF THE TALK...(10) "કરિયાવર..." "કેમ ગણે તું મને કોઈ, નક્કામી વસ્તુ સમાન.  શું ખબર તને ઘવાય છે, કેટલું મારું સ્વમાન.  કિંમત મારી તને થશે, જીવનમાં ત્યારેજ,  કે જ્યારે સાથ છોડી જશે,મારા તનથી મારા પ્રાણ..."                             - અલ્કેશ ચાવડા 'અનુરાગ' ખાધેપીધે સુખી ગણી શકાય એવો એક પરિવાર હતો. એ પરિવારના મુખ્ય માણસ અને એકવીસ વર્ષની યુવાન દીકરીના પિતાની ગામમાં કરિયાણાની દુકાન હતી. દુકાન માંથી મહિને ત્રીસ પાંત્રીસ હજાર જેટલો નફો મળી રહેતો. પરિવારમાં એ ભાઈ પોતે એમની પત્ની યુવાન દીકરી અને એ ભાઈના પિતાશ્રી એમ કુલ મળી ચાર વ્યક્તિઓજ હતા. ચાર રૂમ વાળું મેડા બંધ મકાન પણ ખૂબ સારજ સ્થિતિમાં હતું... જેમ સૌને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે એમ એ યુવાન દીકરીના દાદાને એની પૌત્રી ખૂબ વ્હાલી હતી અને એ યુવતી પણ એના દાદા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવતી હતી. પરંતુ એના પિતાનો સ્વભાવ જરા તેજ હોવાથી એમની હાજરીમાં બિચારી દીકરી એના દાદા સાથે વાત પણ કરી શકતી ન હતી. વૃદ્ધત્વને કારણે નિસ્તેજ બની ગયેલા ઘર...

ભગવાન તો બધું જોઇજ રહ્યો છે !!!

"ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે..." "યાદ રાખો આ વાતને , સત્ય સનાતન જ્ઞાન.  જેવા જેના કર્મ હો , ફળ આપે ભગવાન.  માનવ છીએ તો જીવનને, જીવો માનવ બની,  શ્રાપ બની જશે નહિતર, માનવ જન્મ વરદાન..."                                 - અલ્કેશ ચાવડા 'અનુરાગ' હજી એકાદ માસ પહેલાજ એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના યુવાન પુત્ર, પુત્રવધુ , પોતાની પત્ની અને નાનકડા પૌત્રની લાશને કાંધ આપી ચૂકેલા જીવતરની જંગ કુદરતના એક ફટકાથી હારી ચૂકેલા અને હવે જીવનને સાવ નીરસ અને અર્થહીન માની ચૂકેલા વિખ્યાત દવા કંપનીના માલિક આજે પોતાની હવેલી જેવડા મોટા આલીશાન ઘરની આગાશી પર એકલા અટૂલા જાણે જીવનનેજ નહિ પરંતુ પોતાના ચાલી રહેલા શ્વાસ નો પણ બોજ સહન કરી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા. હજી મહિના પહેલા પૌત્રની બાળહઠ અને એની કિલકારીથી ગુંજી ઉઠતું એમનું આલીશાન ઘર આજે જાણે સ્મશાન જેવું ભેંકાર ભાષતું હતું. પોતાના યુવાન પુત્રના કંપની ચલાવવાના થનગનાટ અને તરવરાટ થી કરોડો રૂપિયાનો નફો રળતી એમની કંપની જાણે અનાથ થઈ ચૂકી હતી. પોતાની પુત્રવધૂના પ્યારથ...